home share

કીર્તન મુક્તાવલી

(૧) નારદ મેરે સંતસે અધિક ન કોઈ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે?

વરતાલથી વળાવવા આવેલા સંઘ સાથે ગુણાતીતાનંદ સ્વામી મહેળાવમાં રાત રહ્યા. બીજે દિવસે સવારે વરતાલથી વળાવવા આવેલા સંઘને વિદાય આપી, સ્વામીશ્રી ત્યાંથી ચાલ્યા. સોજીત્રા, સીંજીવાડા થઈને ધોલેરા પધાર્યા. રસ્તામાં સૌ સાધુ, પાળા, હરિભક્તોને પ્રાગજી ભક્ત વાતો કરતા હતા. તેમની વાતોમાં ભગવાન અને ભગવાનના સાધુનો મહિમા આવતો હતો. તે સાંભળી માન ગઢવી બોલ્યા, “પ્રાગજી! નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે?”

તે સાંભળી પ્રાગજી ભક્તે કહ્યું, “ગઢવી! હું નથી કહેતો. આ તો મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે ‘મમ ઉર સંત અરુ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ.’ સાધુના અંતરમાં ભગવાન રહ્યા છે અને ભગવાનના ઉરમાં સાધુ રહ્યા છે. માટે ભગવાનનો મહિમા કહીએ તેમાં સાધુનો મહિમા આવી જાય અને સાધુનો મહિમા કહીએ તેમાં ભગવાનનો મહિમા આવી જાય. બાકી તો અજ્ઞાન હોય ત્યાં સુધી સંત અને ભગવાન જુદા મનાય. ગ. મ. ૨૮ના વચનામૃતમાં મહારાજે આ રહસ્ય સમજાવ્યું છે.”

માન ગઢવી આ સાંભળી મૂંગા થઈ ગયા!

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨/૨૪૪]

(1) Nārad mere santse adhik na koī

Sadguru Muktanand Swami

Why Are You Going On About the Sadhu?

Gunatitanand Swami spent the night in Mahelav with an entourage from Vartal. The next morning, Swami bid goodbye to the Vartal entourage and walked to Sojitra, then to Sinjivada, and lastly to Dholera. On the way, Pragji Bhakta was talking to the accompanying sadhus, pārshads, and devotees. In his talks, Pragji frequently spoke of the greatness of Bhagwan and the Sant. Man Gadhavi said, “Pragji, why are you going on and on about the Sadhu?”

Pragji Bhakta answered, “Gadhavi, it is not just me. Muktanand Swami has also written, ‘Mam ur sant aru mai santan ur, vās karu sthīr hoī’. Bhagwan resides in the Sadhu’s heart and the Sadhu resides in Bhagwan’s heart. Therefore, Bhagwan’s greatness in included the Sadhu’s greatness, and the Sadhu’s greatness is included in Bhagwan’s greatness. Otherwise, as long as one is ignorant, one will believe the Sant and Bhagwan to be separate. Maharaj has explained this in Vachanamrut Gadhada Madhya 28. ”

Man Ghadavi was left speechless.

[Aksharbrahman Shri Gunatitanand Swami: Part 2/244]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase